Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

દર વર્ષની પરંપરા મુજબ જૂનાગઢ ગિરનારની પવિત્ર દૂધધારા પરિક્રમા

જૂનાગઢ : જેઠ વદ અગિયારસના દિવસે ગિરનારની પવિત્ર દૂધધારા પરિક્રમાં યોજાય છે. આ પરિક્રમાનો આજે સવારે ૬ કલાકે ભવનાથ સ્‍થિત લંબે હનુમાન મંદિરની સામે રબારી નેસમાં પ્રવેશતા જ કરમણ ભગતના નિવાસ સ્‍થાનેથી પ્રસ્‍થાન કરેલ ઉપરોકત તસ્‍વીરમાં દૂધધારા સાથે પરિક્રમાને પ્રસ્‍થાન કરાવતા સંતો તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદના હિરેન રૂપારેલીયા, યોગી પઢીયાર સહિતના ભાવિકો નજરે પડે છે. હિરેન રૂપારેલીયાએ જણાવ્‍યુ હતુ કે, આ દૂધધારા ગિરનારની ૩૦ સીડીના પગથીયે શિવ મંદિરે દૂધધારાનો અભિષેક કરી રૂપાયતન રોડ ગિરનારની પરિક્રમા રૂટ તરફ આગળ વધશે જેમાં રાજુલાના ધારાસભ્‍ય અંબરીષ ડેર, તેમજ ડોળી એસોસીએશન ના પ્રમુખ રમેશભાઇ બાવળીયા, કોર્પોરેટર એભાભાઇ કટારા મંગલગીરીબાપુ સહિતના જોડાશે. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:54 am IST)