Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબી નગરપાલિકાના ૧૭ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ

સેવાઓને સુદ્રઢ કરવાના આશયથી ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ

મોરબી નગરપાલિકામાં સેવાઓને સુદ્રઢ કરવાના આશયથી ચીફ ઓફિસર દ્વારા નગર પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં કનૈયાલાલ કાલરીયાને એકાઉન્ટન્ટની, મહાવીરસિંહ જાડેજાને હેડ કલાર્કની અને ચંદ્રેશભાઈ દંગીને જન્મ-મરણ વિભાગમાં ભાવેશભાઈ દોશીની વિભાગમાં કામગીરી કરવાની રહેશે તથા રહીશના દાખલાઓમાં સહી કરવાની રહેશે.

જયારે ભાવેશભાઈ દોશીને લગ્ન નોંધણી વિભાગમાં મહેન્દ્રભાઈ ખાખીની વિભાગમાં કામગીરી કરવાની રહેશે અને જનરલ બોર્ડના ઠરાવોની કામગીરી કરવાની રહેશે. ડોલરફુમાર જોષીને કેશિયર વિભાગમાં મહાવીરસિંહ જાડેજાની કામગીરી કરવાની રહેશે. સંજયસિંહ રાઠોડને આવક-જાવક વિભાગમાં કામગીરી કરવાની રહેશે અને દિલીપસિંહ રાઠોડને ભૂગર્ભ ગટર વિભાગમાં કામગીરી કરવાની વિભાગમાં રહેશે.
આ ઉપરાંત પ્રવીણભાઈ પટેલને સામાકાંઠે લાઈબ્રેરી વિભાગમાં કામગીરી કરવાની રહેશે.પરેશભાઈ અંજારીયાને લીગલ વિભાગ અને મહેકમ વિભાગમાં વિભાગમાં કામગીરી કરવાની રહેશે, મહેશભાઈ સોનગ્રાને  પી.એફ. તથા ઈ.પી.એફ.ઓ.ની કામગીરી કરવાની રહેશે. અને દલસુખભાઈ પટેલને અધર ટેકસ વિભાગમાં કામગીરી કરવાની રહેશે.
   આ સાથે મનસુખભાઇ નરશીભાઈને સ્ટોર વિભાગમાં અરવિંદભાઈ ગોહિલની જગ્યાએ કામગીરી કરવાની રહેશે. લાખુભા ઝાલાને પવડી વિભાગમાં રામાભા ઝાલાની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે. મહેન્દ્રભાઈ ખાખીને હાઉસ ટેક્સ વિભાગમાં દલસુખ પટેલની જગ્યાએ કામગીરી કરવાની રહેશે. અને કમલેશભાઈ રાવલ, અરવિંદભાઈ ગોહેલ તથા અલ્કેશભાઈ રવેશિયાને હાઉસ ટેક્સ વિભાગમાં મહેન્દ્રભાઈ ખાખીની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે.

(12:33 am IST)