Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગીર સોમનાથ જિલ્લામાં કેરીનો પાક નિષ્ફળ જતાંવળતર આપવા મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિહ ભાઇ પરમારએ કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને વળતર મળે તેવી રજૂઆત કરી

પ્રભાસ પાટણ :સમગ્ર ગીર સોમનાથ જિલ્લા મા આ વર્ષે કેરીના પાક ને  ખરાબ હવામાનને કારણે મોટા પાયે નૂકસાન થયેલ છે અને ખાસ કરીને તાલાલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેસર કેરીને નુકશાન થયેલ છે ગત વર્ષે વાવાઝોડાને કારણે નૂકશાન થયેલ અને આ વર્ષે ખરાબ હવામાનને કારણે નુકસાન થયેલ છે જેથી કેરી ના બગીચા ધરાવતા ખેડૂતો મોટી મુશ્કેલીમા મુકાયેલા છે

      સમગ્ર ગીર સોમનાથ જિલ્લા મા કેરીના બગીચામાં જે નૂકશાન થયેલ છે તેનુ ખેડૂતોને વળતર મળે તે માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહ ભાઈ પરમાર દ્વારા મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને રૂબરૂ મળી અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવેલ છે

(11:51 pm IST)