Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોરબંદરના કેશોદ લુશાળામાં સાંથણીની જમીનની તા. ર જુને માપણી કરાશે

પોરબંદર, તા. ર૪ : કેશોદ લુશાળા ગામે સાંથણીની જમીનની તા.૨ જૂન ૨૦૨૨ના રોજ માપણી કરાશે

પોરબંદર તા,૨૩. પોરબંદરના કેશોદ લુશાળા ગામના જુના સ.નં.૧૨૧ માંથી સને.૧૯૭૧ માં જમીન વિહોણા અને પછાત વર્ગના લોકોને સાંથણીમાં જમીન આપવામાં આવેલ છે. આ જમીન પૈકી અમુક જમીન શરતભંગ સબબ ખાલસા કરવામાં આવેલ છે. અને અમુક જમીન ચોકકસ શરતોએ વાવવામાં આવે તો રીગ્રાન્‍ટ કરવા વિચારણા કરવાના કલેકટર દ્વારા હુકમો કરવામાં આવેલ છે.

આ બાબતે શ્રી નાયબ કલેકટર પોરબંદર દ્વારા અલગ અલગ પત્રોથી સવાલવાળી જમીન સરકારી ખર્ચે માપણી કરી આપવામાં આવ્‍યે ઓવરલેપીંગ/દબાણની વિગતોનો ખ્‍યાલ આવી શકે તેમ હોય, તેમજ મોટા ભાગની જગ્‍યાએ હદ નિશાન આવેલ ન હોય જો માપણી કરવામાં આવે તો જ કયા ખાતેદારના કબજામાં કેટલી જમીન છે. તેની વિગતો એકત્રીત થઇ શકે તેમ હોય એ મુજબ દરખાસ્‍ત કરવામાં આવેલ હતી. જે બાબતે ધ્‍યાને લઇ શ્રી જિલ્લા કલેકટર દ્વારા સંદર્ભ-૧ના હુકમથી સરકારી ખર્ચે માપણીની કામગીરી કરવા માટે હુકમ કરવામાં આવેલ છે. જે અન્‍વયે સંદર્ભ-૨ના પત્રથી ડી.આઇ.એલ.આર., પોરબંદર દ્વારા તા.૦૨ જુનના રોજ ૧૦.૩૦ કલાકે માપણી કરવાની કામગીરી શરૂ કરાશે.

(4:31 pm IST)