Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબી પાસે લેબર કવાર્ટરના ત્રજા માળેથી પડી જતા શ્રમીક રાજુભાઇ પટેલનું મોત

ભરતનગર પાસે ટ્રકે અચાનક વળાંક ઇેતા બાઇક સવાર ધ્રુવભાઇ રંગપરીયાને ઇજા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૪ : મોરબીમાં સેરોન સીરામીકના કારખાનાના લેબર કવાટરના ત્રીજા માળેથી અકસ્માતે પડી જતા શ્રમિકનું મોત થય હતું.  

 મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં રહેતા અને સેરોન સીરામીકના કારખાનામાં કામ કરતા રાજુભાઇ મોતીલાલ પટેલ નામના શ્રમિક લેબર કવાટરના ત્રીજા માળેથી અકસ્માતે પડી જતા તેમનું મોત થયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

() એક બનાવમાં મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદી  પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારાએ ફરીયાદ કરતા જણાવ્યું હતું કે, ભરતનગર ગામની સિમમા આવેલ ભરતવન ફાર્મ સામે કટ પાસે આ કામના ટાટા ટ્રક કંટેનર રજી નં- ઞ્થ્-૧૨-ગ્સ્-૮૮૭૫ ના ચાલકે સાઇડ લાઈટ કે હાથનો ઇશારો કર્યા વગર એકાએક વળાંક લેતા ફરીના  ધ્રુવભાઇ રમેશભાઈ રંગપડીયા ને તેમના મો.સા. એફ.ઝેડ- રજી નં-ઞ્થ્-૩૬-ઝ્ર-૩૬૬૩ વાળા સહીત હડફેટે લઈ રસ્તા પર પછાડી દઈ જેમા ધ્રુવભાઇ રમેશભાઈ રંગપરિયા ને  ગંભીર ઇજા કરી પોતાના હવાલા વાળુ વાહન સ્થળ ઉપર રેઢુ મુકી નાસી ગયો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસે  તપાસ હાથ ધરી છે.

(4:32 pm IST)