Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગજેરાની આગેવાનીમાં ૬ હજાર સ્‍વયંસેવકો કામે વળગ્‍યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૪ : આટકોટ હોસ્‍પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ અંદાજે ૬ હજાર સ્‍વયંસેવકો કામે લાગી ગયા છે.
પરેશભાઇ ગજેરા તથા રાજકોટથી તેમની સાથે આવતા મોટા-મોટા ઉદ્યોગપતિઓ છેલ્લા પંદર દિવસથી રોજે આટકોટ આવી કાર્યક્રમમાં કોઇ જ ચુંકના રહે તે માટે જીણામાં જીણી વસ્‍તુને ધ્‍યાને રાખી વ્‍યવસ્‍થા કરી રહ્યા છે.
રસોડા વિભાગમાં અંદાજે દોઢથી બે લાખ લોકોને જમવામાં કંઇ જ મુશ્‍કેલી ન પડે તે માટે ત્રણ હજાર સ્‍વયંસેવકો આટકોટ તેમજ આજુબાજુના ગામોના યુવાનો કામે લાગી ગયા છે.
બાર જેટલા પાર્કિંગમાં પણ એક હજાર સ્‍વયંસેવકો તેમજ મંડપ અને ચા-પાણીના સ્‍ટોલમાં ૬ હજાર સ્‍વયંસેવકો કામે લાગી ગયા છે.
પરેશભાઇની આગેવાનીમાં રાજકોટથી રોજે આવતા ઉદ્યોગપતિઓ પણ સામાન્‍ય કાર્યકરોની જેમ કામે લાગી ગયા છે.

 

(11:05 am IST)