Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વડિયાના ઢોળવા ગામમાં કૈલાશગીરી બાપુની પુણ્યતિથિ ઉજવાઇ

 વડિયાઃ ઢોળવા ગામે શ્રી ભુનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૈલાશગીરી બાપુની ૨૩મી પુણ્યતિથિ ઉજવવામાં આવેલ આતકે મંદિરના મહંત વિશ્વમભરગીરી બાપુ તેમજ હરિદ્વાર, દ્વારકા, સુરત, અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક નામીઅનામી સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગુરૂ પૂજન ભંડારો હવન યજ્ઞ મહાપ્રસાદ અને ભજન અને ભોજનનો લ્હાવો આજુબાજુ ના ગ્રામજનો તેમજ સંતો મહંતો એ માણ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો હાજરી આપેલ હતી તેમજ સાધુ સંતો ના આશીર્વાદ લેવા માટે વડિયા, ઢોળવા, સાકરોળા, ખીજડિયા, ઢૂંઢિયા પીપળીયાનું માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઇ, વડિયા)

(9:34 am IST)