Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભાવનગરથી નવી કાર લઇને દ્વારકાધીશ ભગવાનના દર્શને જતા ગરાસીયા પરીવારને સરધાર ચોકડી પાસે અકસ્માતઃ ૩ને ઇજા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ર૩: ભાવનગરના ગરાસીયા પરીવારના સભ્યો નવી કાર લઇને દ્વારકાધીશ ભગવાનના દર્શને જતા હતા ત્યારે સરધાર પાસે અકસ્માત સર્જાતા ૩ વ્યકિતને ઇજા થતા સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ભાવનગરના ગરાસીયા પરીવારે નવી આઇ-ર૦ કાર લીધી હોવાથી કારમાં દ્વારકાધીશ ભગવાનના દર્શને જઇ રહયા હતા. ત્યારે રાજકોટ-ભાવનગર રોડ ઉપર સરધાર ચોકડી પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ભાદર નદીના પુલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં વિજયસિંહ હરદેવસિંહ ચુડાસમા (ઉ.વ.ર૮) વિમળાબા હરદેવસિંહ ચુડાસમા (ઉ.વ.૬૦) અને ઓમદેવસિંહ (ઉ.વ.૧૦)ને ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તોને જસદણ ૧૦૮ એમ્બ્યુલન્સના કિશોરભાઇ બાંભણીયા, દેવાયતભાઇએ સારવાર માટે ખસેડાયા હતા.

(12:54 pm IST)