Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મહાભારત સિરીયલના અભિતેના દુર્યોધન-પુનિત ઇસ્સાર જુનાગઢ દામોદર કુંડના દર્શને

શ્રી રાધા દામોદરજી ચેરી ટ્રસ્ટ જુનાગઢના નિમંત્રણને માન આપીને મહાભારત સીરિયલના દુર્યોધનનુ પાત્ર ભજવનાર ફિલ્મી અભિનેતા પુનિત ઇસ્સાર, તથા દિલ્હી પૂર્વના પૂર્વ સાંસદ મહંતશ્રી મહેશગીરીએ પ્રાચીન રાધા દામોદરજી મંદિર એવમ પવિત્ર દામોદરહુંડની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહાભારત કાળમાં દુર્યોધનના ગુરૂ સ્વયં ભગવાન શ્રી બલરામજી હતા પુનિત ઇસ્સારએ મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવ્યું હતું. પોતે મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવ્યું હતું તે  સમયે બલરામજી વિશે જણાવ્યું હતું અને બલરામજીના દર્શન કરી અભિભૂત થયા હતા.  ત્યારબાદ પુનિત ઇસ્સાર (દુર્યોધન) તથા મહંત મહેશગીરીજી પ્રાચીન અને ઐતેહાસીક ભવનાથ મંદિરે મહાદેવને અભિષેક કરેલો અને ગિરનારના પગથિયે દત્તાત્રેય ભગવાનના પૂજન અર્ચન કરી શીશ નમાવ્યું હતું. આ સમયે પાંચ દશનામ જુના અખાડાના રાષ્ટ્રીય સભાપતિ પૂજયશ્રી હરિગિરીજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:38 am IST)