Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કાળી મજૂરી કરીને મીઠુ પકવતા અગરિયા પરિવારોની માઠી

૩૩૦માં પ્રતિ ટન વેંચાતું મીઠુ ડીસીડબ્લ્યુના અધિકારીઓ રૂ. ૧૪૫માં ખરીદવા માંગે છે : કનડગત બંધ કરવા હળવદ -ધ્રાંગધ્રામાં આવેદન

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૩:ઉનાળો -શિયાળો જોયા વગર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયા પરિવારો ને માંડ માંડ ઓણસાલ મીઠાનો યોગ્ય ભાવ મળી રહ્યો છે તેવા સમયે ધાંગધ્રા ખાતે આવેલ dcw કંપનીના અધિકારીઓ અગરિયાઓને ધમકાવી રહ્યા છે કે તમે જે જગ્યા ઉપર મીઠું પકવો છો તે જગ્યા અમારી છે એટલે અહીંથી ઉત્પાદન થતું મીઠું અમોને વેચવું પડશે જોકે હાલ બજાર ભાવ જે છે તેના કરતાં ૫૦ ટકા ભાવ નીચો રાખી મીઠું અગરિયાઓ પાસે ખરીદવામાં આવનાર હોય જેને લઇ અગરિયા પરિવારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે અને આ બાબતે થતી કનડગત ને લઇ યોગ્ય કરવા હળવદ-ધાંગધ્રા અગરિયા પરિવારો એ મુખ્યમંત્રીને સંબોધીને હળવદ અને ધ્રાંગધ્રા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું

હળવદ-ધાંગધ્રા ને અડીને આવેલ કચ્છના નાના રણમાં અગરિયા પરિવારો પાછલા દ્યણા વર્ષોથી મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઉનાળામાં આકરા તાપમાં અને શિયાળામાં ઝીરો ડિગ્રી ઠંડી વચ્ચે ટાઢ તડકો વેઠીને મીઠાનું ઉત્પાદન કરતા અગરિયા પરિવારોને આ વર્ષે મીઠા નો ભાવ ૩૩૦થી ૩૫૦ સુધીનો પ્રતિ ટને મળતા અગરિયા પરિવારો ને થોડી રાહત થઇ હતી પરંતુ ધાંગધ્રા ખાતે આવેલ dcwના અધિકારીઓ દ્વારા અગરિયાઓ એ જે ઉત્પાદન કરેલ મીઠું છે તેનો ભાવ માત્ર ૧૪૫ આપવાનું કઈ મીઠું તેમને જ વેચવાનું દબાણ કરવામાં આવતું હોવાનું જણાવી અગરિયા પરિવારોએ હળવદ ધાંગધ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવી dcw દ્વારા થતી કનડગત બાબતે રજૂઆત કરી છે અગરિયા પરિવાર દ્વારા રજૂઆત કરેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે કચ્છના નાના રણમાં મીઠું પકવીએ છીએ તે જગ્યા કોઈની માલિકીની નથી વર્ષ ૧૯૯૫ પછી સરકાર દ્વારા કોઈને ભાડા પેટે કે લીઝ ઉપર રણની જમીન આપવામાં આવેલ નથી તેમ છતાં પણ ધાંગધ્રા ખાતે આવેલ dcw ના અધિકારીઓ દ્વારા અવારનવાર અગરિયાઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપવામાં આવે છે ફુણૂરૂ ના અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમારી રજૂઆતને ધ્યાને લઇ મીઠાનો યોગ્ય ભાવ કરવામાં આવ્યો છે તે ફુણૂરૂ ને જોઈ શકાતું નથી જેથી અવારનવાર અગરિયાઓને કહેવામાં આવે છે કે તમે રણમાં પાટા ન કરો અને જો રણમાં મીઠું પકવવું હોય તો તેમા ઉત્પાદન થતું તમામ મીઠું અમનેજ આપવું પડશે અને એ પણ અમે જે ભાવ નક્કી કરી તે જ ભાવે હાલ ૩૩૦ થી ૩૫૦ પ્રતિ ટન મીઠું વેચાઈ રહ્યું છે તેવા સમયે ફુણૂરૂ તે મીઠું પકવતા અગરીયાઓ પાસેથી માત્ર પ્રતી ટન ૧૪૫ માં જ ખરીદી કરવા માંગે છે અને વેચાણ કરવા દબાણ પણ કરવામાં આવે છે જેથી સ્પષ્ટ પણે જણાઇ આવે છે કે dcw અમારું શોષણ કરવા માંગે છે જો dcw ને અમારું મીઠું જોઈતું હોય તો હાલ જે બજારમાં ભાવ ચાલે છે તે ભાવે દેવા અમે તૈયાર છીએ પરંતુ તેઓ માત્ર અમારું શોષણ કરવા જ માંગતા હોય તેમ બજાજ કિંમત કરતા પણ અડધી કિંમતે અમારા મીઠાની માગણી કરી રહ્યા છે જેથી આગામી ૨૦ દિવસમાં dcw તરફથી થતી કનડગત બંધ કરવામાં નહિ આવે તો ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની પણ અગરિયા પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે.

(10:09 am IST)