Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ચાપરડામાં ગુરૂપૂર્ણિમાની સાદાઈથી ઉજવણી કરતા પૂ. મુકતાનંદબાપુ

જૂનાગઢઃ અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદજી મહારાજ દ્વારા ચાપરડાના સુરેવધામ ખાતે તેમના ગુરૂદેવની સમાધીનુ પૂજન શાસ્ત્રોકત વિધિ સાથે કરી વર્તમાન કોરોનાની મહામારીને લઈ ગુરૂપૂર્ણિમા પર્વની સાદાઈથી ઉજવણી કરતા નજરે પડે છે. પૂ. મુકતાનંદબાપુએ જણાવ્યુ હતુ કે કોરોના મહામારીને કારણે ગુરૂપૂનમ ઉત્સવની ઉજવણી મોકુફ રાખેલ છે અને માત્ર પૂ. ગુરૂદેવની સમાધીનું પૂજન કરી સાદાઈથી ઉજવવામાં આવેલ. પૂ. બાપુએ સૌને હૃદયના ભાવ સાથે ગુરૂપૂર્ણિમાની શુભકામના પાઠવી સાથોસાથ આ ગુરૂપૂર્ણિમાના રોજ વૃક્ષારોપણ કરવા સૌને અપીલ કરી હતી તથા કોઈપણ જગ્યાએ મજબુર લોકોને મદદ કરવાની અપીલ પણ કરી છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(11:29 am IST)