Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ભાવનગરમાં કોરોના નો કહેર: ૩૦૨ પોઝિટિવ કેસ નોંધાયા તેમજ ૮ દર્દીઓના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૦,૨૯૦ કેસો પૈકી ૨,૦૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૩૦૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦,૨૯૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૯૦ પુરૂષ અને ૭૬ સ્ત્રી મળી કુલ ૧૬૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ઉખરલા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૩, તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, તળાજા  તાલુકાના બેલા ગામ ખાતે ૧, ભાવનાગર તાલુકાના ઉંડવી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવાગામ ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના મલેકવદર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના આનંદપર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ભાવનાગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભડભડીયા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૮, સિહોર ખાતે ૮, ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૫, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૧, તળાજા તા
 

(10:43 pm IST)