Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ૬ના મોત અને ૨૫૪ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૯૮૮ કેસો પૈકી ૧,૮૪૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩: ભાવનગર જિલ્લામા વધુ ૨૫૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯,૯૮૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮૮ પુરૂષ અને ૬૦ સ્ત્રી મળી કુલ ૧૪૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ઉમરાળા તાલુકાના ઉંજળવાવ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંદ્યોળા ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના જાળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના લાખણકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૬, ઉમરાળા તાલુકાના ધોળા જં. ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના ખાંટડી ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાળુકડ(દ્યો) ગામ ખાતે ૭, દ્યોદ્યા તાલુકાના ભીકડા ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના જુના પાદર ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના બાડી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૨, દ્યોદ્યા ખાતે ૪, દ્યોદ્યા તાલુકાના તગડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોળીયાક ગામ ખાતે ૨, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૩, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, જેસર ખાતે ૫, મહુવા તાલુકાના નવા મોણપર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના કુડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના દ્યોદ્યા તાલુકાના લાખણકા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના શેલાવદર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૭, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨, સિહોર તાલુકાના બોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના માંડવી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના લુણધરા ગામ ખાતે ૨ મળી કુલ ૧૦૬ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે રહેતા એક દર્દી અને મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ છ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

(11:35 am IST)