Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

શાપુર - કણજામાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

જુનાગઢઃ શાપુર અને કણજા આરોગ્ય કેન્દ્ર ખાતે જી.એમ.ઇ.આર એસ. મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢ ના માનસિક વિભાગ દ્વારા નેશનલ મેન્ટલહેલ્થ પ્રોગ્રામ અંતર્ગત માનસીક સ્વાસ્થ્ય સંબંધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનસિક ઓરોગ્યના નિષ્ણાતોની ટીમ જેમાં ડો. ભાર્ગવ અધર, સાયકોલોજિસ્ટ સુમિત વડસરિયા અને સોસીયલ વર્કર ચિરાગ માકડીયા દ્વારા વિવિધ માનસિક રોગો તેને લગતી સમસ્યાઓ તેમજ ખોટી ગેરમાન્યતાઓ દૂર થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(12:57 pm IST)