Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દિવમાં આવકવેરાનો દરોડોઃ હોટેલ અને જવેલર્સ ગ્રુપ ઝપટેઃ જુનાગઢ આઇટી દ્વારા તપાસ

જુનાગઢ તા.ર૩ : કેન્દ્ર શાસિત દિવમાં જુનાગઢ સહિત આયકર વિભાગના કાફલાએ દરોડાની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો છે.

ગઇકાલની બપોરથી જુનાગઢ ઉપરાંત વેરાવળ, અમરેલી અને રાજકોટ આયકર વિભાગના ૪પ અધિકારીઓ મળી ૭ ટીમે જવેલર્સ અને હોટલોમાં દરોડા પાડયા છે.

જાણવા મળ્યા મુજબ એસ.એમ.જવેલર્સ, શ્રધ્ધા જવેલર્સ, હોટેલ રસાલ સહિતની હોટેલોમાં નાણાકીય વ્યવહારોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેક્ષ કમિશ્નર અરવિંદ સોનકટેના માર્ગદર્શન હેઠળ દરોડાની આ કાર્યવાહી પુર્ણ થયા બાદ મોટુ ડિસ્કલોઝર બહાર આવવાની શકયતા છે.

(4:08 pm IST)