Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ચોટીલાના જાનીવડલામાં ઝેરી દવા પી ૧૮ વર્ષની કિરણ સાગઠીયાનો આપઘાત

રાજકોટ તા. ૨૩: ચોટીલાના જાની વડલા ગામે રહેતી કિરણ ગોવાભાઇ સાગઠીયા (ઉ.૧૮) નામની દલિત યુવતિએ ગઇકાલે ઘેર ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. કિરણ બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે હતી. તેના પિતા ગોવાભાઇ કાનાભાઇ છૂટક ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. કિરણે આ પગલું શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતા નથી. ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

ચોટીલાની આયેશા પરમારે એસિડ પી લીધું

ચોટીલાના થાન રોડ પર ખુશીનગર-૧માં રહેતી આયેશા ભરતભાઇ પરમાર (ઉ.૧૮) ગઇકાલે એસિડ પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ રજા લીધી હતી. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)