Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

'પદ્માવત'નાં વિરોધને લઇ મોરબીમાં ચુસ્ત સુરક્ષાઃ ૬૦૦ પોલીસ જવાનો ખડેપગે

મોરબી તા. ર૩ :.. ગુજરાત સહિત દેશમાં ફિલ્મ પદ્માવતીને રીલીઝન થવા દેવાના મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આગજનીના પગલે મોરબી જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ  અંગે મોરબી એસ. પી. જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પદ્માવતના વિરોધને લઇને સરકારે મોરબીમાં આઇ. જી. કક્ષાના અધિકારી અજયકુમાર ચૌધીરને મુકયા છે. મોરબી જીલ્લામાં કુલ ૬૦૦ પોલીસ કર્મીઓ એસ. ટી., ટોલનાકા સહિત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહ્યા છે. તેમજ એસ. ટી. ને કોઇ અઘટીત ઘટના બને તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ સીનેમા ઘરોના સંચાલકો સાથે મીટીંગ  યોજી તેમને ફિલ્મ રીલીઝ કરવી હોય તો પુરતી સુરક્ષા આપવા ખાત્રી  આપવામાં આવી છે. પરંતુ સિનેમા ઘર સંચાલકોએ આ ફિલ્મ નહીં દર્શાવવા જણાવ્યું છે. એસ. ટી. ડેપો મેનેજરે સલામતીના કારણોસર ગામડાઓમાં નાઇટ વોલ્ટ કરતી બસોને ગામડે નાઇટ વોલ્ટ ન કરવા અને બસ પાછી ડેપોએ લઇ આવવા નિર્ણય કર્યો છે.

(11:24 am IST)