Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

લીલીયાઃ દશનામ ગોસ્વામી સમૂહલગ્ન યોજાયા

 લીલીયાઃ દુધાળા હરિકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના સવજીભાઇ ધોળકીયા દ્વારા બનાવવામાં આવેલ. ત્રિવેણી સંગમ ખાતે આજે સવારના દશનામ ગૌસ્વામી સમાજ અને શ્રી રાજગીરીબાપુ પ્રેરીત સમુહલગ્ન સમારોહ અને સન્માન સમારોહ યોજવામાં આવેલ. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાના હસ્તે રીબીન કાપી અને દિપ પ્રાગટય કરી લગ્ન સમારોહનો પ્રારંભ કરાવેલ. લગ્ન સમારોહમાં ૧૧ નવદંપતી જોડાયા હતા. દશનામ ગૌસ્વામી પરિવાર દ્વારા સવજીભાઇ ધોળકીયા સહિતના દાતાઓનું પુષ્પહાર, શાલ, મોમેન્ટોથી સન્માન કરવામાં આવેલ તે તસ્વીર.

(9:31 am IST)