Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

જામનગરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા : બાઈક રેલી

પવનચક્કી પાસે આવેલ ભગવાન શ્રી રામજી ના દર્શન કરી પરિવર્તન યાત્રાની બાઈક રેલી: બપોર બાદ ભગવતી પાર્ટી પ્લોટથી શરૂઆત

જામનગર : ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ના ભાગરૂપે આજરોજ સવારે દસ વાગ્યે 79 વિધાનસભા મતવિસ્તારમાં પવનચક્કી પાસે આવેલ ભગવાન શ્રી રામજી ના દર્શન કરી પરિવર્તન યાત્રાની બાઈક રેલીની શરૂઆત થઇ હતી જે 79 વિધાનસભા વિસ્તારોમાં ફરિ ગોકુલ નગર ખાતે આવેલ સોનલ માના મંદિરે દર્શન કર્યા બાદ રણજીત નગર માં લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી આ યાત્રાનું ખોડીયાર કોલોની પાસે પૂર્ણાહુતિ કરી હતી જ્યારે બપોર બાદ આજ યાત્રા 78 વિધાનસભા મતવિસ્તારમાં ભગવતી પાર્ટી પ્લોટ થી શરૂઆત થનાર છે

(8:25 pm IST)