Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પાલીતાણા તીર્થની પવિત્રતા જાળવવા રજુઆત

તાજેતરમાં પાલીતાણા સ્થિત શેત્રુંજય મહાતીર્થને પવિત્ર યાત્રાધામ તરીકે એવોર્ડ એનાયત થતા આ પ્રસંગે મહાતીર્થના વહીવટકર્તા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગ લાલભાઇએ સરકારને એક આવેદનપત્ર પાઠવી સ્થળની પવિત્રતા જળવાઇ રહે તેનો પુરતો ખ્યાલ રાખવા રજુઆત કરી હતી. આ જૈનોની પવિત્ર સાધના ભુમિ છે. લાખો લોકોની શ્રધ્ધા ભકિતનું કેન્દ્ર છે. જેથી યાત્રાધામ તરીકે બરાબર છે પરંતુ પર્યટન તરીકે હરવા ફરવાના સ્થળ તરીકે આ જગ્યાને નહીં ગણવા વિનંતી કરી છે.

(11:43 am IST)