Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

જામનગરમાં પલ્ટી ખાઇને રિક્ષા માથે આવતાં ઘવાયેલા રાજકોટના ગુર્જર સુથાર વૃધ્ધાનું મોત

નાના મવા રોડ જમુના હેરિટેજમાં રહેતાં ઉષાબેન ભેસાણીયા (ઉ.૬૩) ચોવીસ દિવસ પહેલા જામનગર ભાઇની ખબર કાઢવા ગયા હતાં ત્યારે બનાવ બન્યો'તોઃ સારવારમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૧: શહેરના નાના મવા રોડ પર રહેતાં ગુર્જર સુથાર વૃધ્ધા ચોવીસ દિવસ પહેલા જામનગરમાં રોડ સાઇડમાં ઉભા હતાં ત્યારે એક રિક્ષા પલ્ટી ખાઇને માથે આવતાં ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેમણે રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

નાના મવા રોડ પર ગાંધી સ્કૂલ સામે જમુના હેરિટેજમાં રહેતાં ઉષાબેન દિનેશભાઇ ભેસાણીયા (ઉ.૬૩) નામના ગુર્જર સુથાર વૃધ્ધા ૨૭/૧૧ના રોજ જામનગર રહેતાંતેમના ભાઇની ખબર કાઢવા માટ ેગયા હતાં. બાદમાં દિગ્વીજય પ્લોટમાં પોલીસ ચોકી સામે ઉભા હતાં ત્યારે રિક્ષા નં. જીજે૧૦ટીવી-૧૨૫૫ પલ્ટી ખાઇને માથે આવતાં ઉષાબેનને ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી રાજકોટ ગોકુલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે કાગળો કરી જામનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ઉષાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

(11:40 am IST)