Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

લીલીયા ખાતે સંગઠન વિસ્તૃતીકરણના હેતુ માટે તાલુકા અને શહેર સમીતીની મીટીંગ મળી

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા

 અમરેલી, તા., ર૦:  જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી લીલીયા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.

આ મીટીંગ માં લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિચારણા કરી, હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ કોવિડ ન્યાય યાત્રા કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો નેમદદરૂપ થવા જણાવ્યું હતું.

કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ થઈ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પક્ષ ના સક્રિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપવા માં આવશે તેમ જણાવેલ હતું.

આજના કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા, શંંભુભાઇ દેસાઇ, દલસુખભાઇ દુધાત, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના શ્રી સત્યમભાઈ મકાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પોકિયા, લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ખોડાભાઈ માલવીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બહાદુરભાઈ ભેડા સહિત ના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(1:09 pm IST)