Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બગસરામાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન

બગસરા : બગસરામાં હર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ગણેશ ભગવાન ની મહા આરતી અને પૂજા અર્ચના કરી અને વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં બગસરાના પોલીસ સ્ટેશન પાસે આવેલ ચેક ડેમમા વિસર્જન કરાયું હતું જેમાં બગસરાના વિવિધ વિસ્તારના ગણપતિ સ્થાપના કરેલ હતી જેનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિસર્જનમાં બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલા સાહેબ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાંઙ્ગ આવ્યો હતો જેમાં બગસરા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા પીઆઇ વાઘેલા તથા પીઆઇ મકવાણા હાજર રહીને ત્યાં ચેકડેમ પાસે કોઈ ડૂબી જવાનો પણ બનાવ ન બને તેની માટે એલર્ટ રહીનેબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ઉપરાંત આ ઉપરાંત નગરપાલિકા એ ફાયર બિગેડ નો સ્ટાફ સતત હાજર રહી અને ગણેશ વિસર્જન કરવા માટે પૂર્વ તૈયારી કરેલ હતી અને વિસર્જન કરવામાં ટ્યુબરાખી તરવૈયાઓદ્વારા પાણીમાં વ્યવસ્થિત રીતે ગણેશજીને વિસર્જન કરવામાં આવ્યું હતુંજે તસવીરમાં નજરે પડે છે(તસ્વીર : સમીર વિરાણી બગસરા)

(11:51 am IST)