Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જામનગરમાં વિશ્વ વિખ્યાત કલાત્મક તાજીયા સમક્ષ શ્રધ્ધાળુઓએ પોતાની માનતા ઉતારી

જામનગરઃ જામનગરમાં મહોરમના પર્વે તાજીયાના દીદાર થયા હતા. વિશ્વ વિખ્યાત કલાત્મક તાજીયા માટે જામનગર પ્રખ્યાત છે પરંતુ હાલ કોરોનાની મહામારી ને ધ્યાને લઇને તાજિયાના જૂલુસ આ વર્ષે રદ કરાયા હતા.જે તે વિસ્તારોમાં જ તાજીયા રાખી પરંપરા નિભાવવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં તાજીયા સમક્ષ શ્રદ્ઘાળુઓએ જઈને પોતાની માનતા પણ ઉતારી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:06 pm IST)