Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અમરેલીમાં રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પ્રાર્થના

અમરેલીઃ રાજીવ ગાંધીની ૭૭મી જન્મજયંતિએ  યુવાનો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન તેમજ પંચાયતી રાજ સંસ્થાઓના સુર્દઢીકરણ માટેની સ્વ. રાજીવ ગાંધીની કલ્પના અદ્વિતીય હતી. વિશેષતઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલીકોમ્યુનિકેશન સહિત ટેકનોલોજી આધારીત ઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા માટેના તેમના આધુનીક પ્રગતિશીલ નિર્ણયોથી દેશના લાભો યુવાનોની જિંદગીની કાયાપલટ સ્વ. રાજીવ ગાંધીએ કરી છે. ત્યારે સ્મણાંજલીરૂપે જિલ્લા, તાલુકા તથા શહેરના પ્રમુખો, પક્ષના આગેવાનો, હોદેદારોશ્રીઓ, ફ્રન્ટલ સેલ, ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓની સક્રિય સહભાગીતા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થનાસભા એવમ પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ પંડયા, પ્રદેશ મહામંત્રી શ્રીમતી હંસાબેન જોષી, વસરા સાહેબ, વસંતભાઇ કાબરીયા, મહેશભાઇ સોમૈયા, સમીરભાઇ કુરેશી, જમીલાબેન મેતર, ચંદુભાઇ બારૈયા, રમેશભાઇ ગોહિલ, રમેશભાઇ મેર, જગદીશભાઇ પાનસુરીયા, મોનીલ ગોંડલીયા, દેવરાજભાઇ બાબરીયા, હિતેષભાઇ માંજરીયા, પરવેઝભાઇ ચૌહાણ, રફીકભાઇ મોગલ, રમેશભાઇ ખીમસુરીયા, વિગેરે સ્વ. રાજીવજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સંચાલન તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુુલભાઈ પોંકીયાએ કર્યુ હતંુ

(1:04 pm IST)