Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સલાયામાં તાજીયા બાબતે બબાલ કે પડદા પાછળ અન્ય બાબત છે ?

(કૌશલ સવજાણી દ્વારા )ખંભાળિયા, તા.૨૧: ખંભાળિયાના સલાયામાં પોલીસ અને પબ્લિક વચ્ચે થયેલા ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત વધુ કોઈ બનાવ ન બને તે માટે શાંતિ અને સુરક્ષાને ધ્યાને રાખી ૫૦ જેટલો પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. જયારે જિલ્લા પોલીસ વડા તથા કલેકટર તેમજ એલ.સી.બી એસ.ઓ.જી તથા સ્થાનિક પોલીસ સહિતનો કાફલો સાંજના સમયે સલાયા પહોંચ્યો હતો અને પરિસ્થિતિ સહિતની વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે બનાવમાં પોલીસે ૧૬ જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો તે પૈકીના લગભગ શખ્સોને નજરકેદ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે જયારે બીજીબાજુ બિનસત્ત્।ાવાર રીતે મળતી માહિતી મુજબ સલાયા માંથી કોઈ ખાનગી રહે કોઈ મોટું ઓપરેશન પાર પાડવામાં આવે તો આગામી દિવસોમાં નવાઇ કહી શકાય તેમ નથી.

માત્ર તાજીયા બાબતે જ આ આખો મામલો સળગ્યો હતો કે પછી અન્ય કોઈ બાબત પડદા પાછળ છે ? તે અંગે પણ અતિગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(11:50 am IST)