Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કાલે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે રક્ષાબંધન પર્વે પૂ.જેન્તિરામબાપાનો સત્સંગઃ કોવિડની ગાઇડ લાઇન મુજબ મર્યાદીત લોકો ઉપસ્થિત રહેશેઃ ફેશબુક પર લાઇવ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જામજોધપુર થી ર૧ કિ. મી.ના અંતર આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમે આવતીકાલે રક્ષાબંધન પર્વ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ યોજાશે.

જેમાં ભાઇ-બહેનાને પ્રેમને ઉજાગર કરતુ આ પર્વ અને માનવજીવનમાં પ્રેમનું મહત્વ વિષય પર અને નિરાકર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કઇ રીતે થાય તેનું અનુભવ ગત માર્ગદર્શન પૂ. જેન્તિરામબાપા સત્સંગ દ્વારા આપશે. અને વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાન લઇ કોવિડની ગાઇડ લાઇન મુજબ સરકારશ્રીના આદેશ મુજબ મર્યાદીત લોકોની ઉપસ્થિતીમાં આ સત્સંગ યોજાશે જેમાં ઉપસ્થિત રહેનાર સત પરિવારના સત્સંગી ભાઇઓ બહેનોએ માસ્ક ફરજીયાત પહેરવુ તેમજ સેનેટાઇઝ થઇ સોશ્યલ ડીસન્ટન્સ જાળવવા ખાસ અનુરોધ કરાયો છે. આ સત્સંગનું ફેસબુક પેઇજ પર લાઇવ પ્રસાર કરવામાં આવશે તેમ વ્યવસ્થાપક શ્રી હસમુખભાઇ શીલુએ જણાવ્યું છે.

(11:48 am IST)