Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજી શહેરના નામાંકિત ડોક્ટર સાથે મીટીંગ લેતા કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ખાતે જન આશીર્વાદ યાત્રા માં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એ ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ ડોક્ટરો સાથે મિટિંગ યોજી હતી ધોરાજી નામાંકિત ડોક્ટરો સાથે મીટીંગનો લાભ લીધો હતો અને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અને વિવિધ યોજનાની માહિતી કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા એ આપી હતી
અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે દરેક સમાજ ની સરકાર છે એ અંગે વિશેષ માહિતી આપી હતી તેમજ આરોગ્ય ક્ષેત્રે ડોક્ટરોએ જે પ્રકારે વિભાગમાં કામગીરી કરી છે તેમનો પણ આભાર માન્યો હતો અને આવનારા દિવસોમાં ભારત સરકાર સ્વાસ્થ્ય મંત્રાલય ની અંદર ખૂબ જ મહત્વની કામગીરી કરવાની છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ સમયે ધોરાજી ના તમામ ડોક્ટરોએ માનનીય મંત્રીનું સ્વાગત કર્યુ હતું
બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી જીલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલા ભાજપના વરિષ્ઠ અગ્રણી વી.ડી.પટેલ જિલ્લા મંત્રી હસુભાઈ ટોપિયા જિલ્લા મહામંત્રી(obc) કિશોરભાઈ રાઠોડ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:49 pm IST)