Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયણીનું અવસાન: કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડિયાએ સદગતના પરિવારને સાંત્વના પાઠવી

ધોરાજી માર્કેટિંગ યાર્ડના સહકારી ક્ષેત્રના નેતા ગણાતા અને સારી એવી ધોરાજીમાં લોકચાહના ધરાવતા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયણીનું અવસાન થતાં ધોરાજી ખાતે જન આશીર્વાદ યાત્રામાં ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ સ્વર્ગસ્થ રણછોડભાઈ જસમતભાઈ કોયાણીના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી ને પપ્પાજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે કોયાણી પરિવારના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી નો આભાર માન્યો હતો તેમજ ધોરાજીના આગેવાનો પણ જોડાયા હતા

(7:46 pm IST)