Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જુનાગઢના ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચાની રાજકીય સફળતાને બિરદાવતો રઘુવંશી સમાજ

જુનાગઢ લોહાણા મહાજનની ધુરા સંભાળવા માંગણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૧: જુનાગઢના ડેપ્‍યુટી મેયર અને રઘુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઇ કોટેચાની રાજકીય સફળતાને બિરદાવતો રઘુવંશી સમાજ જુનાગઢના રઘુવંશીઓએ ગીરીશભાઇની રાજકીય સફળતાને બિરદાવી તેમની નિડરતા, નિખાલસતા અને નિષ્‍ઠા બદલ ગૌરવ અનુભવે છે અને હવે મહેન્‍દ્રભાઇ મશરૂ અને તેઓની ટીમ ભવ્‍ય જલારામ મંદિરના નિર્માણનું ભગીરથ કાર્ય હાથ જઇ રહી છે ત્‍યારે ગીરીશભાઇ કોટેચા તે જુનાગઢ લોહાણા મહાજનની ધુરા સંભાળવા અને મહાજન વાડીના કાર્યોને ગતિશીલ બનાવવા અને જલારામ મંદિરના પણ આપતા નેતૃતવ હેઠળ મહાજનશ્રીના આગેવાનો તનમન ધનથી સહયોગ આપે એવી લાગણી અને માંગણી રઘુવંશી સમાજમાં પ્રવર્તે છે.

(1:23 pm IST)