Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોરબંદરમાં વધતુ લમ્‍પી વાયરસનું સંક્રમણ : વધુ ૩ ગૌવંશના મૃત્‍યુ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૧ : પશુઓમાં લમ્‍પી વાયરસનું સંક્રમણ વધતું જાય છે. લમ્‍પી વાયરસથી વધુ ૩ ગૌવંશના મૃત્‍યુ થયેલ છે. લમ્‍પી વાયરસથી અત્‍યાર સુધીમાં કુલ ૧૨ ગૌવંશના મૃત્‍યુ થયેલ છે.

શહેરમાં લમ્‍પી વાયરસના કુલ કેસ ૬૫ થયેલ છે. તેમજ ૧૧૨૦થી વધુ ગૌવંશને લમ્‍પી વાયરસથી રક્ષણ આપતી વેકસીન અપાઇ છે. જીઆઇડીસીમાં હાલ ૫૧ ગૌવંશની સારવાર ચાલી રહી છે. પશુપાલન વિભાગ તથા ઉદય કારાવદરા ટ્રસ્‍ટ દ્વારા શહેરમાં રઝળતા ગૌવંશોને રાત્રીના રસીકરણ કરાય રહ્યું છે.(

(12:45 pm IST)