Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોરબંદર સમસ્‍ત ખારવા જ્ઞાતિના પ્રમુખ તરીકે પવનભાઇ શિયાળની તિલક વિધિ

પોરબંદર, તા.૨૧: સમસ્‍ત ખારવા જ્ઞાતિના પ્રમુખપદે પસંદગી થયેલ પવનભાઇ શિયાળની તિલક વિધિ યોજાઇ હતી.

સમસ્‍ત ખારવા જ્ઞાતિના વાણોટ/પ્રમુખ શ્રી ની સમસ્‍ત ખારવા સમાજના નવ ડાયરાઓના સભ્‍યો તેમજ નવનિયુક્‍ત પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા સર્વાનુમત્તે નક્કી કર્યા મુજબ પોરબંદર ખારવા સમાજના વાણોટ/પ્રમુખ તરીકે પવનભાઈ જીવાભાઈ શિયાળની પસંદગી કરવામા આવેલ છે. સમગ્ર ખારવા સમાજના ભાઈઓ, યુવાનોએ ખારવા સમાજના વિકાસ માટે પ્રવર્તમાન યુવા વાણોટ  પવનભાઈ શિયાળ ઉપર વિશ્વાસ વ્‍યકત કરી, નવ ડાયરાઓના તમામ પટેલશ્રી તથા ટ્રસ્‍ટીશ્રીઓ મળી ૨૭ સભ્‍યોની નિયુકતી કરવામા આવેલ છે.

આ નવ નિયુકત પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ એ એકમત બની ખારવા જ્ઞાતિની પરંપરા ને આગળ વધારી સર્વાનુમત્તે વાણોટશ્રી તરીકે પવનભાઈ જીવાભાઈ શિયાળની વરણી કરવામા આવેલ છે. ખારવા સમાજના સામાજીક વિકાસ માટે આર્થિક વિકાસ માટે મહીલાઓના વિકાસ માટે જ્ઞાતિના શૈક્ષણીક વિકાસ માટે ખારવા જ્ઞાતિના એક અધ્‍યક્ષ ની જરૂરીયાત હોવાનુ જણાતા  પોરબંદર સમસ્‍ત ખારવા જ્ઞાતિના અધ્‍યક્ષ તરીકે રણછોડભાઈ ગગનભાઈ શિયાળની સર્વાનુમત્તે વરણી કરવામા આવી છે. ખારવા જ્ઞાતિના નવ નિયુકત વાણોટ, અધ્‍યક્ષશ્રી તથા પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ ને જ્ઞાતિના સર્વે ઉદ્યોગપતિશ્રીઓ, જ્ઞાતિ આગેવાનો અને વિશાળ સંખ્‍યા મા યુવાનો એ અભિનંદન પાઠવી ખારવા સમાજના વિકાસમા  સહયોગ આપવા જણાવેલ છે.

(9:44 am IST)