Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

વિંછીયામાં પાણી પ્રશ્‍ને સોમવારથી ઉપવાસ આંદોલનની ચિમકી

તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાનો આક્રોશ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૨૧: વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપતભાઇ કેરાળીયાએ પાણી પ્રશ્‍ને સોમવારથી ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્‍ચારી છે.

રાજકોટ કલેકટર, કાર્યપાલક, ઇજનેરે, મામલતદાર, પ્રાંત અધિકારી, પી.એસ.આઇ તથા નાયબ ઇજનેરને પત્ર પાઠવીને પાણી પ્રશ્‍ન વારંવાર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા સોમવારથી વિંછીયા તાલુકા સેવા સદન સામે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી છે.

આ અંગે વારંવાર કોન્‍ટ્રાકટર, અધિકારીઓ સહિતનાને રજુઆત કરી છે તેમ છતા પણ વિંછીયાના અમુક ગામોને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ નથી જેથી લોકો હેરાન થઇ રહ્યા છે. જેથી પ્રશ્‍ન હલ ન થાય તો રાજકોટ કાર્યપાલક ઇજનેર-ગ્રામ્‍ય યુનિવર્સિટી રોડ, રાજકોટ સામે ભાજપના આગેવાનોને સાથે રાખીને ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્‍ચારી છે.

(12:05 pm IST)