Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભાયાવદર ગુરુકુળમાં સ્‍વામી વિવેકાનંદનું પ્રદર્શન અને પુસ્‍તક મેળાનું આયોજન

ભાયાવદર : ગુરુકુળમાં શિક્ષણ સાથે સંસ્‍કારનો સિંચન થાય તે હેતુથી વિવિધ પ્રવળત્તિ પ્રદર્શન સેમિનાર વગેરેનું આયોજન થતું હોય છે ત્‍યારે યુવાનોના આદર્શ એવા સ્‍વામી વિવેકાનંદના જીવન કવન વિશેનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. તેમાં તેમના જીવન અને વિચારો આવરી લેતા સચિત્ર ચાર્ટ સ્‍વરૂપે શાળાના બધા વિદ્યાર્થી તેમજ શિક્ષકોએ જોયા અને ૪૦ જેટલા વિવિધ પુસ્‍તકોનું પણ વેચાણ કરવામાં આવેલું હતું. જેમાં વિદ્યાર્થીએ આશરે ૭૮૦ જેટલી બુકોની વિદ્યાર્થીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી.  વિદ્યાર્થી જીવનમાં ઉચ્‍ચ વિચારો અને ચરિત્ર નિર્માણ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રદર્શન માટે સંસ્‍થાને મદદરૂપ થનાર વિવેકાનંદ આશ્રમ ઉપલેટાની સંસ્‍થાના સહયોગથી આયોજન થયું હતું. (તસ્‍વીર-અહેવાલ : રમેશ સાંગાણી ભાયાવદર)

(10:19 am IST)