Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

હળવદના દેવળીયામાં ટીટોડીના મોત બર્ડ ફલુના કારણે નહી ઠંડીથી થયાનું રિપોર્ટમાં ખુલ્યું

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨૧ : તાલુકાના નવા દેવળિયા ગામ પાસેના તળાવમાંથી ગત ૧૩ જાન્યુઆરીના રોજ એક ડઝનથી વધુ મૃત હાલતમાં ટીટોડીઓ મળી આવી હતી તેમજ દસ જેટલી ટીટોડીઓ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ બનાવને પગલે વન વિભાગ અને પશુપાલન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત ટીટોડીઓ ને પ્રાથમિક સારવાર આપી હતી.

જયારે મૃત હાલતમાં મળી આવેલ ટીટોડીઓના સેમ્પલને બર્ડ ફલૂની આશંકા વચ્ચે ભોપાલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

જેનો રીપોર્ટ આવી જતાં આ ટીટોડીઓના મોત બર્ડફલુના કારણે નહીં પરંતુ ઠંડીને કારણે થયાનું સામે આવ્યું છે. જેથી કહી શકાય કે હળવદમાં અત્યાર સુધીમાં એક પણ બર્ડ ફલુનો કેસ નોંધાયો નથી.

(12:02 pm IST)