Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વાંકાનેરના માટેલ-ઢુંવા રોડ બિસ્મારઃ પ ગામના લોકો દ્વારા ચક્કાજામ

વાંકાનેર તા. ર૦ :... વાંકાનેરના માટેલ ખોડીયાર માતાજી ધામ અને ઢુંવા વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી ચક્કાજામ કરીને લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો.

પ ગામના ર થી ૩ હજાર જેટલા લોકોએ નાયબ મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવીને રોષ વ્યકત કર્યો હતો.

નાયબ મામલતદારશ્રીએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

(4:34 pm IST)