Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ધોરાજીમાં ખોડલધામ સમિતિ દ્વારા મોટાગુંદાળાના ૯ યુવાનોનાં આત્માને શાંતિ અર્પવા શ્રધ્ધાંજલી સભા

 ગુંદાળા ગામના ૯ યુવાનોનાં આત્માની શાંતિ અર્થે ખોડલધામ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી સભા રાખવામાં આવી હતી. જેમાં હતભાગી પરિવારનાં વડીલો સંસ્થાનાં પ્રમુખ વિમલભાઈ કોયાણી, વિશ્વકમાં સમાજનાં રાષ્ટ્રિય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઈ ટોપિયા, જયસુખભાઈ ઠેસીયા, યાર્ડનાં ચેરમેન રણછોડભાઈ કોયણી, વી.ડી.પટેલ, ભુપતભાઇ કોયાણી, સમસ્ત સિંધી સમાજનાં પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, બજરંગ ગ્રુપનાં સી. સી. અંટાળાં અરવિંદભાઈ વોરા, કડીયા સમાજનાં રાજુભાઇ યાદવ, પંકજભાઈ મકવાણા સાથે બ્રહ્મસમાજ અને વિવિધ સામાજિક સંગઠનો ના આગેવાનો અને વિવિધ જ્ઞાતિનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી શોકાંજલી પાઠવી હતી.

(11:15 am IST)