Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પોરબંદરમાં કોરાનાના નવા પ કેસ

કોરાનાના વધુ ૪ દર્દીઓ સાજા થયાઃ જિલ્લામાં ૧૧ને હોમ આઇસોલેશન

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. કોરાના પોઝીટીવના નવા પ કેસ આવતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૮પ૩ પહોંચી છે.કોરાનાના નવા પ કેસ કેદારેશ્વર રોડ, છાંયા, ખારવાવાડ, રાવલિયા પ્લોટ રાજીવનગરમાંથી આવ્યા કોરાનાની સારવાર દરમિયાન વધુ ૪ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

જિલ્લામાં કોરાના સાજા થયેલ દર્દીની કુલ સંખ્યા ૭૬૯ થઇ છે. જિલ્લામાં કોરાનાને લીધે ૧૧ વ્યકિતઓને હોમ આઇસોલેશનમાં રાખેલ છે.

(12:48 pm IST)