Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

હાલારમાં ૪ના કમોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: અહીં સિઘ્ધાર્થ કોલોની શેરી નં. પ માં રહેતા હસમુખભાઈ જયંતીભાઈ પરમાર, ઉ.વ.રર એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, હરીયા કોલેજ સામે રેલ્વે પુલીયા પાસે કમલેશ જયંતિભાઈ પરમાર, ઉ.વ.ર૦, રે. શંકર ટેકરી, સિઘ્ધાર્થ કોલોની શેરી નં.પ, આત્મઘાત કરવા અગમ્ય કારણોસર ટ્રેન નીચે કપાઈ જતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ પામેલ છે.

ક્રિકેટ મેચ ઉપર જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મેહુલભાઈ કનુભાઈ ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે,  સોર્ય એપાર્ટમેન્ટ, પ૯, દિગ્વીજય પ્લોટ, ડો.કે.એમ. આચાર્યના દવાખાના પાસે, નરેન્દ્રભાઈ પરસોતમભાઈ એપ્લીકેશનમાં આરોપી નં. પપ મો.નં.૮૦૦૦૩૩૪૪૭૭ રે. જામનગરવાળાના મોબાઈલ ફોન ઉપર કપાત કરાવી રનફેર નો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી ભારતીય ચલણની અલગ અલગ નોટો કિંમત રૂ.૧૦,પ૩૦/– તથા એક રેડ્મી કંપનીનો એડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂ.૧૦,૦૦૦/– તથા મળી કુલ રૂ.ર૦,પ૩૦/– સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી આરોપી નં. પપ મો.નં.૮૦૦૦૩૩૪૪૭૭ વાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિનાયક પાર્કમાં જુગાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રમેશભાઈ નાથાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, વિનાયક પાર્ક, સેન્ટમેરી સ્કુલના ખુણા પાસે, જાહેરમાં આરોપીઓ પરાગ યોગેન્દ્રભાઈ અજુડીયા, નંદલાલ રેલુમલ વઘવાય, રવિ વાલજીભાઈ ચાવડા, જગદીશગીરી મનસુખગીરી ગોસ્વામી, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ તીનપતી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૧૦,૧૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

જનાવર કરડી જતા વૃઘ્ધનું મોત

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામે રહેતા અજયરાજસિંહ વિરભદ્રસિંહ જાડેજા, ઉ.વ.ર૬ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ભાવાભી ખીજડીયા ગામે ધારૂ સીમ વિસ્તારમાં મરણજનાર રાજેન્દ્રસિંહ કિરીટસિંહ ઉર્ફે કિલુભા જાડેજા, ઉ.વ.પ૩, વાડીએ બળદોને મકાઈ વાઢી નિરણ કરવા ગયેલ હતા ત્યારે મકાઈના કચરા માંથી કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન થઈ જતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

પરણિતાનો આપઘાત

અહીં ગોકુલનગર શેરી નં.૩ માં રહેતા કાનાભાઈ સામતભાઈ ગોજીયા, ઉ.વ.પ૦ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, લક્ષ્મીબેન રમેશભાઈ કશેરા, ઉ.વ.૧૯, રે. પાણખાણ શેરી નં.–૧, સુર્યદય હોટલવાળી ગલીમાં કાનાભાઈ આહીરના રહેણાક મકાનમાં, જામનગરવાળીનો લગ્નો ગાળો અઢી વર્ષનો હોય જે અગમ્ય કારણોસર પોતે પોતાની હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ મૃત્યુ પામેલ છે.

ગળાફાંસો ખાધો

કાલાવડના વ્હોરાવાડમાં રહેતા અબ્બાસભાઈ ઉર્ફે અબો અફકલભાઈ સાદિકોટ, ઉ.વ.ર૩, એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કુત્બુદીન અફજલભાઈ સાદિકોટ, ઉ.વ.૧૮, રે. વ્હોરાવાડ, કાલાવડવાળા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

(12:45 pm IST)