Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ગીર સોમનાથ સાઉન્ડ એશો.દ્વારા ધંધા માટે છુટ આપવા માંગણી

પ્રભાસપાટણ : ગીર સોમનાથ સાઉન્ડ એશો. સાથે જોડાયેલ સાઉન્ડ અને ડી.જે.ના ધંધાર્થીઓના ધંધા લોકડાઉનમાં સંપુર્ણ બંધ રહેલા છે અને ધંધાઓ માર્ચ એપ્રિલ મે અને જૂન મહિનામાં લગ્ન સિઝન હોય છે જેથી આ ધંધાર્થીઓ રોજગારી મેળવતા હોય છે. સરકાર આ ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલ ધંધાર્થીઓને છુટ આપે તે માટે ગીર સોમનાથ સાઉન્ડ એશો.દ્વારા કલેકટરના માધ્યમથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહરાજયમંત્રી, જીલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્ય સહિત તમામને લેખીતમાં રજૂઆત કરેલ છે અને તાત્કાલીક ધંધો શરૂ કરવા માંગણી કરેલ છે તે તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:13 am IST)