Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ઈન્કમટેક્ષના વિષય પર લીલીયા તાલુકાની સેવા સહકારી મંડળીઓ માટેનો વન-ડે સેમીનાર યોજાયો

અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૦: ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્વયે અમરેલી જીલ્લા સહકારી સંઘના ઉપક્રમે લીલીયા મુકામે તઅમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણી અધ્યક્ષતામાં સેવા સહકારી મંડળીઓના મંત્રી મેનેજર માટે ઇન્કમટેક્ષના વિષય સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ, લીલીયા તાલુકા સંઘના પ્રમુખ શ્રી બાબભાઇ હીરપરા, અમરેલી મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી બી.એસ કોઠીયા અને અમરેલી જીલ્લા સહકારી સંઘ ના ડાયરેકટર્સ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે આ કાર્યક્ર્મમાં તજજ્ઞ તરીકે નિવૃત જોઇન્ટ રજીસ્ટાર જે.જે શાહ, ફેડરેશનના એકઝીકયુટીવ ઓફિસર દુષ્યંતસીહ વાઘેલા, સી.એ  હરેશભાઇ ખણેસા અને સી.એ  એ.બી કોઠીયા દ્વારા સેવા આપવામાં આવી હતી.

જયારે કાર્યક્રમના અધ્યક્ષ મનીષ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.કે જીલ્લાની સહકારી સંસ્થાઓ માટે અમરેલી જીલ્લા સહકારી સંઘે હંમેશા ચિંતા કરી છે. અને જરૂર પડે તમામ માર્ગદર્શન આપવામાં આવ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં મડળીઓને મળેલ નોટીસના નીરાકરણ હેતુ  જીલ્લા સંઘ દ્વારા હવે મંડળીઓને ચાર્ટર્ડ એકાઉન્ટની સેવા પણ મધ્યસ્થ સંસ્થા તરીકે પુરી પાડશે. અને વધુમા જણાવતા કહ્યુ હતુ કે જીલ્લા સંઘ દ્વારા સહકારી સંસ્થા ઓ માટે પૂરી પાડતી તમામ સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત તમામ કર્મચારીને અનુરોધ કર્યો હતો.

સંચાલન સંઘના સી.ઇ.ઓ એસ.પી ઠાકર દ્વારા કરવામાં આવેલ હતુ. અને કાર્યક્ર્મની આભાર વિધી સંઘના એકઝીકયુટીવ ઓફિસર બી.આઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ હતી.

(12:56 pm IST)