Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

હવે વિજયભાઇના હસ્તે સાંજે જામનગરમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૦ : આજે સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ. લોકાર્પણ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ હવે આ કાર્યક્રમ આજે સાંજે ૬ વાગ્યે યોજાશે.

જામનગરની સ્વાસ્થ્ય સેવાઓના સુદઢ કરતા વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવનાર છે.

જેમાં લીનીયર એકિસલરેટર તથા સી.ટી. સિમ્યુલેટર મશીન ર૩ર પથારીની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજજ કોવિડ પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પ્લમોનરી રીહેબીલીટેશન સેન્ટર અત્યાધુનીક એકસ-રે મશીન (૮૦૦ એમ.એ.) અને પ્લાઝમા બેન્ક ઇ-લોકાર્પણ ઓડિટોરીયમ હોલ શ્રી એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગર ખાતે યોજાશે.

(12:52 pm IST)