Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સોમનાથ યાત્રિક સુવિધા ભવનને પ્રાચીન ટેરાકોટા પેઇન્ટીંગ-શિલ્પકૃતિઓથી આકર્ષીત કરવાનું કામ ગતિમાં

નૂતન વર્ષ - દિવાળી અને આગામી પર્વો-ઉત્સવોમાં યાત્રિકોને આવકારવા સોમનાથ ટ્રસ્ટ સજજ : સોમનાથ મહાદેવ દર્શન પથમાં પ્રવેશતાં જ કતારમાં ઊભેલા શિવ-ભાવિકોને ભગવાન સોમનાથ લાઇવ દર્શન કરી શિવમય બનીશકે તે માટે વિશાલ એલ.ઇ.ડી. સ્ક્રીન મુકવાનું કાર્ય દિવાળી-નૂતન વર્ષઆગામી તહેવારો પહેલાં કાર્યરત કરી દેવામાં આવશે

પ્રભાસ પાટણ તા.ર૦: (મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવનું દિવ્ય મંદિર આગામી નૂતનવર્ષ-દિવાળી પર્વો-રજાઓને અનુલક્ષી સોમનાથ આવતા ભાવિકો-યાત્રિકોની સુવિધા-સ્મૃતિમય યાત્રા બને તે માટે જોરશોરથી અનેકવિધ કાર્યો ઝડપભેર ઉપાડયા છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે, ટ્રસ્ટે બે ખાનગી મોબાઇલ કંપનીઓના સહયોગથી યાત્રિકો માટે એક સુંદર પ્રોજેકટ કાર્ય હાલ ગતિમાં છે જેમાં દર્શન માટે એન્ટ્રીગેટમાં પ્રવેશતાં જ દિગ્વીજય દ્વારા સુરક્ષા કુટીર પાસે એક વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન મુકાશે જે દસ ફૂટના ઉંચા સ્ટ્રકચર ઉપર ર૦ x ૧૦ના સ્ક્રીન ઉપર સોમનાથ મહાદેવના લાઇવ દર્શન-કતારમાં દર્શન માટે જતા હશે ત્યારે આ સ્ક્રીન ઉપર મંદિરમાં પ્રવેશ્યા પહલાં જ ભગવાન ભોલાનાથના દર્શન કરી શિવ અનુભૂતિ સાથે શિવમય બનશે.

સ્ટ્રકચર માળખું ફીટ કરાઇ રહ્યું છે જે આગામી દિવાળી પહેલાં ચાલુ કરી દેવાની ટ્રસ્ટની નેમ છે.

સોમનાથ યાત્રિ સુવિધા ભવનની દિવાલોને પણ થીમ આધારીત કલાત્મક-કલાકૃતિઓથી શણગારાઇ રહી છે.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ ટેરાકોટા આર્ટથી ભવનની દિવાલોને ઉપસેલ પેઇન્ટીંગ-કોતરણી કલાકૃતિથી દિવાલોને મઢાઇ રહી છે. જેમાં પ્રથમ તબકકામાં ગ્રામ્ય-જીવન વહેલી સવારના ઉઠીથી  માંડી ખોરડામાં વાસીદા, ઘમ્મર-ઘમ્મર છાશ વલોણા, ખેતરમાં પક્ષી ઉડાડવા, ખેતરમાં પાકેલ અનાજ કોઠીમાં ભરવું - પશુ-પ્રાણીને નિરણ, પાણીના કુંડા ભરવા, ટપાક ટપાક રોટલા ઘડવા, ખાંડણીયુ, ગાયને દોહવું, ચબુતરા ચણ નાખવું આવા અંદાજે ૬ બાય ૬માં કુલ ગ્રામ્ય જીવનના કુલ ત્રીસ દૃશ્યો કંડારાયા છે. જે જોઇ યાત્રિકો પ્રાચીન ભારતની સંસ્કૃતિથી અવગત થશે અને નવી પેઢી ભારતના આ પ્રાચીન વારસાને સેલ્ફી મોબાઇલ દ્વારા યાત્રાને સ્મરણીય બનાવશે. આવી જ રીતે સાંસારિક લગ્ન થીમ અને વૂમન  પાવર સહિત વિવિધ થીમો પણ ટેરાકોટાથી મઢવામાં આવશે. ગેરૂઆ રંગના ઉપસેલ ટેરાકોટા આર્ટભારતીય ચિત્ર-શિલ્પ શૈલીની પ્રાચીન સંસ્કૃતિ છે.(

- વિજયસિંહ ચાવડા (જનરલ મેનેજર-સોમનાથ ટ્રસ્ટ)

 

(11:31 am IST)