Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જામનગરમાં નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે એચ.આર.માડમ ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ

જામનગર : દેશના વડાપ્રધાન ગરીબોના બેલી અને ભારતના વિકાસની કેડી કંડારનાર નરેન્દ્રભાઇ  મોદીજીના જન્મદિવસ નિમિતે જામનગર ખાતે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ પુનમબેન માડમના સૌજન્યથી આંખના મોતીયાના નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન થયેલ હતુ. આ કેમ્પમાં ૮૧ દર્દીઓ આંખના મોતીયાનું નિદાન કરી, ૧૮ દર્દીઓના મોતીયાનું ઓપરેશન કરવાનું નકકી થયેલ અને રપ વ્યકિતઓને નિઃશુલ્ક ચશ્માઓનું વિતરણ કરવામાં આવેલ. નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ નિમિતેના આ સેવાયજ્ઞમાં સ્વ.શ્રી એચ.આર. માડમ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પુનમબેન માડમના સેવાકીય કાર્યને બિરદાવેલ છે. (અહેવાલ : મુકુંદ બદીયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(1:01 pm IST)