Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરેન્દ્રનગર એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

 વઢવાણ :  સુરેન્દ્રનગર જિલ્લાના એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. રાજ્યના એસટી વિભાગ ના ૩ યુનિયન એક થઈ પડતર પ્રશ્ને નિરાકરણ માટે માગણી કરી. ૮ ઓકટોબર સુધીમાં નિવેડો નહીં આવે તો સુરેન્દ્રનગર એસટી વિભાગના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જશે. વહેલી સવારે ત્યારે જ કંડકટર ડ્રાઇવર અને અધિકારીઓ પોતે ફરજ ઉપર આવ્યા ત્યારે તેમના યુનિફોર્મ પર કાળી પટ્ટી લગાવી અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે અગાઉ પડતર ેપ્રશ્ન પણ આ બાબતે વિરોધ પ્રદર્શન એસટી વિભાગના કર્મચારીઓ નોંધાવી ચૂક્યા છે તો આ પડતર પ્રશ્ને ખાનગી કરણ નો મુદ્દો સરકાર દ્વારા હલ કરવામાં નહીં આવે તો એસ.ટી.વિભાગના પૈડા થંભી જશે તેવી ચીમકી   સુરેન્દ્રનગર એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા અપાઇ હતી તે તસ્વીર.

(11:53 am IST)