Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વિશ્વ વિખ્‍યાત સિંધી સમાજના સંત શ્રી સાધરામજીનું કાલે જામનગરમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: વિશ્વ વિખ્‍યાત સંત પૂજનીય શ્રી સાધરામજી તથા તેમના સેહજાદા શ્રી રોહિત લાલજીનું ભવ્‍ય સ્‍વાગત અને આગમન તા.૨૧/૦૫/૨૨ શનિવારે સાંજે ૭ વાગે કિશનચંદ પોકરમલ વલકેસ્‍વરી નગરી તેમના નિવાસ સ્‍થાને તથા ભવ્‍ય સ્‍વાગત શોભાયાત્રા પવન ચકી થી રાત્રે ૮ વાગ્‍યે તેમજ લંગર પ્રસાદ રાત્રીના ૮ થી ૧૦ નાનકપુરી મદિરે અને સંતશ્રીનું ભવ્‍ય સત્‍સંગ ઉત્‍સવ રાતે ૧૦ થી ૧૨ સંત કંવરરામ મંદિરે રાખેલ છે.

આપણા સમાજને આવા ભવ્‍ય સત્‍સંગ ઉત્‍સવનો લાભ લેવા માટે જામનગર સિંધી સમાજ તથા કંવરરામ મિત્ર મંડળ દ્વારા અપીલ કરવામાં આવે છે.

આ ભવ્‍ય કાર્યક્રમની તૈયારી માટે પૂર્વ મંત્રી અને સમાજના ચેરમેન શ્રી પરમાનંદ ખટ્ટરની આગેવાની નીચે કિશનચંદ પોકરમલ પ્‍યારેલાલ રાજપાલ, ઓધવદાસ ભુગડોમલ, કિશોર સંતાણી, કંવરરામ મિત્ર મંડળ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(10:34 am IST)