Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પાલીતાણામાં ૧૭ મુમુક્ષુઓનું સંયમ પંથે પ્રયાણ

ભાવનગરઃ પાલીતાણામાં આચાર્યદેવ શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા, સુવિશાલ ગચ્છાધિપતિ, પ્રવચનદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય પૂણ્યપાલસૂરિશ્વરજી મહારાજા, માર્ગસ્વ પ્રતિભાના સ્વામી. પ્રવચન પ્રભાવક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય કીર્તિપરાસૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રામાં વહેલી સવારે ૪ વાગ્યે જય જય શ્રી આદિનાથ, દિક્ષાર્થી અમર રહો ના નાદ સાથે દિક્ષાવિધિનો પ્રારંભ થયો હતો. દિક્ષાની વિધિથી સંસારરૂપી મોહમાયા છોડીને સંયમ પંથે પ્રયાણ કર્યુ હતું. વિશાળ સંખ્યામાં સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યા હતા અને સમુદાયના ૪ ભગવંતોને સૂરિપદપ્રદાન કરવામાં આવશે (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:22 am IST)