Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

...અને પૂ. રમેશભાઈ ઓઝા પ્રભાવિત થઈ ગયા

ગધેથડ આશ્રમે યજ્ઞશાળા જોઈને પૂ.ભાઈજીએ તેની પદ્ધતિ જાણવા ટીમ મોકલી હતી

રાજકોટ, તા. ૧૯ : સુપ્રસિદ્ધ કથાકાર અને પોરબંદર સાંદિપની આશ્રમના સ્‍થાપક પૂ. રમેશભાઈ ઓઝા - પૂ. ભાઈજી એક સમયે ગધેથડ આશ્રમની યજ્ઞશાળાના દર્શન મહોત્‍સવ દરમિયાન અગ્રણીઓએ જણાવ્‍યુ હતું કે ગયા વખતે ગધેથડ મહોત્‍સવમાં હવનનું આયોજન થયુ હતું. આ પ્રસંગે પૂ.રમેશભાઈ ઓઝા - ભાઈજી પધાર્યા હતા. ગધેથડ આશ્રમની યજ્ઞશાળાના દર્શન કરીને પૂ. ભાઈજી પ્રસન્‍ન થયા હતા. તેઓશ્રીએ રસ લઈને યજ્ઞશાળાનું નિરીક્ષણ કર્યુ હતું.

બાદમાં પૂ. રમેશભાઈ ઓઝાએ પોરબંદરથી પોતાના આશ્રમની ટીમ ગધેથડ મોકલી હતી અને યજ્ઞશાળા અંગે આ ટીમે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

(12:25 pm IST)