Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જોડીયા પૂ. ધરમલાલબાપાની જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

વાંકાનેર : પ.પૂ. શ્રી ધરમલાલ બાપાની (રર૦મી) જન્મ જયંતિ હાલ કોરોનાના મહામારી હોય સાદાઇથી ઉજવણી કરવામાં આવેલ છે. બપોરના ૩થી ૪ દરમ્યાન આહ્યા પરિવાર દ્વારા સદ્ગુરૂદેવશ્રી ધરમલાલ બાપાનું વિશેષ પૂજન-અર્ચનવિધિ કરવામાં આવેલ તમજ બપોરના ૪થી ૬-૩૦ દરમ્યાન સંગીતમય સુંદરકાંડના પાઠ-ધુન-સંકિર્તન યોજાયેલ. જેમાં શ્રી મહેન્દ્રભાઇ, ભરતભાઇ ગણાત્રા, યોગેશભાઇ તન્ના, શ્રી અશોકભાઇ વર્મા, નાનુભાઇ ચંદારાણા, શ્રી શનીભાઇ વડેરા તેમજ આહ્યા પરિવાર તથા પૂ. બાપાના ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સુંદરકાંડના સંગીતમય પાઠ, ધુન, સંકિર્તન કરેલા હતાં.

(11:53 am IST)