Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વરજાંગ જાળીયાનાં સ્વામીનારાયણ મંદિરે બુધવારે વાર્ષિક પાટોત્સવ-દિવ્ય શાકોત્સવ

હજારો હરિભકતો એક સાથે લેશે પ્રસાદનો લ્હાવો : અનેરો ઉત્સાહ

ઉપલેટા તા.૨૦ : વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીનાં આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય નૂગેન્દ્રપ્રસાદ મહારાજનાં માર્ગદર્શન તેમજ ધર્મકુળ પરિવારના સાનીધ્યમાં શ્રી હરી મંદવાડ ગ્રહણ મુકિતધામ તરીકે ઓળખાતા વરજાંગ જાળીયાના સ્વામીનારાયણ મંદિરે વાર્ષિક પાટોત્સવ, દિવ્ય શાકોત્સવ તા.૨૪મીએ બુધવારે આહિર સમાજની વાડી ખાતે યોજાશે.

શ્રી રાધારમણ દેવના પાટોત્સવ તથા લોયાધામની લીલાનું સ્મરણ કરવાનાં અનેરા અવસરે સ્વામીનારાયણ સંપ્રદાયનાં હરિભકતો દેવદર્શન, ધર્મકુળદર્શન, સંતસમાગમ, મહાપૂજા દર્શન, શાકોત્સવનો લ્હાવો લેવા આતુર છે ત્યારે સૌએ લાભ લેવા પુરાણી સ્વામી હરિદાસજી (વડતાલવાળા), સ્વામી ભકિતનંદનદાસજી તેમજ સમસ્ત સત્સંગ સમાજ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સંયુકતમાં જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(11:24 am IST)